‘તઝમીન’ બનાવો ડિસેમ્બર 21, 2006
Posted by સુરેશ in તઝમીન, સર્જનક્રિયા.trackback
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
– ડો. રશીદ મીર
ઘણી તઝમીનોના સર્જક જનાબ ‘રાઝ’ નવસારવી ની બે તઝમીનો નીચે આપી છે.
————————————————-
– મરીઝ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
————–
તઝમીન
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
——————————————————
– બરકત વીરાણી ‘બેફામ’
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
————
તઝમીન
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
———————————————————
નીચે બે શેર આપ્યા છે.
જનાબ ‘રાઝ’ નવસારવી
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
—–
જનાબ અમૃત ‘ઘાયલ’
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
_____________________________________________
હવે આ ચાર શેરમાંથી કોઇ એક, બે, ત્રણ કે ચારે ચાર (!) શેર પર ‘તઝમીન’ બનાવવા આપ સૌને ઇજન છે.
બંને તઝમીન સુંદર છે… આભાર, સુરેશભાઈ!
[…] આ શેર પરથી રચેલ તઝમીન : […]
નાના હતા ત્યારે દોસ્તો રમકડાં સુધી ગયા
મોટા થયા ત્યારે તો ધંધા સુધી પણ ગયા
કળયુગમાં નાણા જ સર્વે સર્વા બની ગયા
સબંધોનાં ત્રાજવા તેથી તો બધા ફરી ગયા
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
વિજય શાહ
‘તઝમીન’ વિષે ખુબ ઉપયોગી માહિતી સાંપડી.પ્રયત્ન કરવાની લાલચ જાગે એવી સુંદર સમજ આપવા માટે ધન્યવાદ.
‘તઝમીન’ રચવાના નિમંત્રણ બદલ આભાર. ક્યારેય તઝમીનની રચના કરી નથી.આપના આગ્રહને વશ થઈ પ્રયત્ન કર્યો છે.
– આદિલ મન્સૂરી
હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે
બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે
ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
[…] ———— # તઝમીન : બરકત વીરાણી ‘બેફામ’ ના શેર પરથી – […]
કિનારે થી નિક્ળી મઝધાર સુધી ગયા
અમારા દિલ મા થી નિકળી દોસ્તો ના દિલ સુધી ગયા
સન્જોગો એ લીધી જો કરવટ,એ અમારા નસીબ સુધી ગયા
સબંધોનાં ત્રાજવા તેથી તો બધા ફરી ગયા
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.!!!!!
આદરણીય આદિલભાઇ,
આપનો ખૂબ ખૂબ આભાર . આપે સમય કાઢી અમારા ઉત્સાહને વધાર્યો છે. યુવાન પેઢી માટે આવું સર્જન કરવાનું પ્લેટફોર્મ બહુ જ ઉપકારી નીવડશે.
આપના સહકાર બદલ અમે બહુ જ ઋણી છીએ.
કોણ મળે છે કહી- ‘હું હમણાં મળું’?
કહ્યું’તું તમેય, ‘ફરી હું આવી મળું’,
શક્ય નથી, ખુદને ય હું ફરી મળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા !
—
એમની યાદમાં ક્યારેક બહેકી જવું પડ્યું,
એમણે ય અમારી યાદમાં ફરકી જવું પડ્યું,
ચરણોએ ક્યાં કશે ય ક્યારેય જવું પડ્યું?!
‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.
—
સત્ય મિટાવવા જુઓ ગન સુધી ગયા,
શ્રદ્ધાને મારવા તેઓ ગગન સુધી ગયા,
સ્પર્શી જો ના શક્યા તો ઝહર સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
—
તમારા વિરહમાં ય વફા જિંદગીની છે!
યુગો સમાન પળોની કૃપા જિંદગીની છે,
ઝાંઝવાઓ, જુઓ! શી મજા જિંદગીની છે!
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
ઊર્મિસાગર
દવા મારી નથી _સીરતી
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી.
_સીરતી
તઝ્મીન: _સૈયદ ‘રાઝ’ નવસારવી.
છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
_સૈયદ ‘રાઝ’ નવસારવી.
એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’
તઝ્મીન:
એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી..
આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.
જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી
તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
14જુલાઈ2006
છન્દ:ગાલગાગા,ગાલગાગા,,ગાલગાગા,લગા
(મ.સીરતી સાહેબ ના એક શેર પર તઝમીન અથવા પુરી ગઝલ લખો,)
તઝમીન_મોહમ્મદ અલી ,વફા”
– મરીઝ
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ
બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
_મોહમ્મદ અલી,વફા,
– બરકત વીરાણી ‘બેફામ’
ગાગાલગા,ગાગાલગા,ગાગાલગ,લગા
આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તા તણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
_મોહમ્મદ અલી,વફા,
જનાબ ‘રાઝ’ નવસારવી
નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
_મોહમ્મદ અલી,વફા,
જનાબ અમૃત ‘ઘાયલ’
ગાગાલગા, ગાગાલગા,ગાગાલગા,લગા
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
_મોહમ્મદ અલી,વફા,
કામ સીવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કરતાં કોઈની અંદરથી ડરું,
એટલા માટેતો જૂદો હું સહુથી પડું,
સૌ કહે આપ મોઘા થઈ ગયા !
કામ સિવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કોઈની કરતાં અંદરથી ડરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે આપ મોઘા થઇ ગયા !
I have corrected this one by adding three lines of mine. One I submitted earlier was NOT correct per the defination of “TAZAMIN” i think. Please let me know.
સુરજનુ તેજ છે ધરા સુધી,
ધરાની મહેંક છે ગગન સુધી,
ગગનની ધારા છૅ સાગર સુધી
બેફામ તોયે કેટલુ થાકી જવું પડયું
નહીતર જિવનનો રાહ છે,ઘરથી કબર સુધી
દેવિકા રાહુલ ધ્રુવ
હયુસ્ટન
કોમળતા માટે ફૂલૉને મળુ,
વિશાળતા માટે આકાશને મળુ,
માનવને કહો કેમ મળુ?
લાખ ચિંતામાં છું હું કોને મળુ ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા….
પાસે હતી મતા તો બધા મિત્ર સૌ રહ્યા,
જો નામના હતી તો જુઓ! બાંધવો રહ્યા,
ચાલી ગયું બધું તો બધા વિસરી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
દુઃખ અને દુઃખ છે કહો કોને મળું ?
માથે સવાર શેર છે , કોને મળું?
માનશે કોઇ નહીં કોને મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
રસ્તા મળ્યા ન કોઇ મને, શોધવું પડ્યું,
મંજિલ સુધી જવા રે! અહીં દોડવું પડ્યું,
’સુરેશ’ મારે જોજનો ભટકી જવું પડ્યું.
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
વનમાં વિલાસ જેવી બધી વારતા જ છે.
કોઇ સુણે નહીં આ કથા એકલાની છે.
‘સુરેશ’ કહો ચાલ! તો ક્યાં ચાલનાર છે?
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
– જનાબ ‘રાઝ’ નવસારવી
અલ્લાહ! તું જો, કેવી વ્યથા જિંદગીની છે!
પથ્થર ને છુરી પાસે રજા જિંદગીની છે;
ચારેતરફ ભલે ને હવા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
-વિવેક
નારાજ થયા જે લોકો અબોલા સુધી ગયા
વહાલાઁ વહાલ વિસારી વેરી થઈ ગયા
આશા નિરાશાના ચક્કરમાઁ વિચારો અટવાઈ ગયા
વિચારોનાઁ વમળમાઁથી નિકળી અમે કિનારા સુધી ગયા
નારાજ થયા જે લોકો અબોલા સુધી ગયા
વહાલાઁ વહાલ વિસારી વેરી થઈ ગયા
આશા નિરાશાના ચક્કરમાઁ વિચારો અટવાઈ ગયા
વિચારોના વમળમાઁથી નિકળી અમે કિનારા સુધી ગયા
[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]
[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]
આપની તે ઝઁખના મા સળગવુ પડ્યુ, સમય ના ઈશારા પર નાચવુ પડ્યુ, કોણ જાણે ક્યા ક્યા ભટકવુ પડ્યુ, ’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
મને પોતાને હુ કેમ રે છળુ? આપની યાદો મા રોજ હુ બળુ, મોત અને વિરહ ને એક હુ ગણુ, લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયાક જ ગણુ,
[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]
[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો […]
સુરજ ક્યાંથી પહોંચે ફુલની ભીનાશ સુધી, હું તો પહોંચુ આંખો માં થી હ્દય સુધી, કેમ કરી ને પહોંચુ આપના ઘર નાં દ્વાર સુધી, ’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
[…] આ નવોદીતોની કવીતા-શાળામાં આદીલજી એ પણ તઝમીન બનાવીને અમારા ઉત્સાહને એક નવો વળાંક […]
તરસે મારા હાથ તો પાણી સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો લોહી સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
– દીપક પરમાર (“દીપ”)
આપણે આજ સુધી એને ‘ પાદપૂર્તિ’ કહેતા આવ્યાં છીએ. એના કેટલાક પ્રકારો પણ છે. પંડીતયુગની પહેલાંથી આ ચાલ્યું આવે છે. પાદપૂર્તિમાં એક પંક્તી પરથી મોટાભાગે મુક્તકો રચાતાં. ક્યારેક તો પાદપૂર્તિની પંક્તિ પ્રથમ પણ આવતી એટલું જ નહીં એ પંક્તિને ધ્રૂવપંક્તિ બનાવીને આખી કવિતા સર્જવામાં આવતી અને નક્કી કરેલી એક કે એકથી વધુ પંક્તિઓ પર મુશાયરો યોજાતો ! બધા હાજર કવિઓ એ પાદપૂર્તિઓને ધ્રૂવપંક્તિ બનાવીને રચનાઓ રજૂ કરતા !
“સર્જન સહિયારું” એ પણ નેટ પરનો મુશાયરો જ છે ને ! અહીં આપવામાં આવેલી પંક્તિ પર સૌ કલમ અજમાવી શકે છે.
આદિલજીના જન્મદિન નિમિત્તે ( બહારગામ હોઈ) મોડો મોડો પણ મારી વંદના પાઠવું છું અને તઝમીન-શીક્ષણ-તક માટે મારો હરખ વ્યક્ત કરું છું. આપણે એનાથી ઘણું મેળવી શકીશું. જુ.
[…] કવિશ્રી ઝવેરચન્દ મેઘાણીની એક પંક્તિ પર (છેલ્લી બે લીટી) એક તઝમીન… (તઝમીન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક … […]
[…] સાહેબનાં એક અમર શેર પર લખેલી એક તઝમીન… શ્રી આદિલસાહેબને અંજલીરૂપે […]
Dear Shayars:
I am a novice for both Shaayari and Tazameen. But one thing is certain:
Indeed, I relished the new experience and each one of the 34 replies
above.
Thanks,
Vallabhdas Raichura
Maryland,April 21,2010.