સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ… September 3, 2006
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
મિત્રો, ‘સર્જનક્રિયા’ની પ્રથમ પોસ્ટ પર હું મારા જ બ્લોગ પર આગળ લખેલ એક લઘુ કાવ્ય અને એનો વિચાર રજૂ કરું છું. આજનો સહિયારું સર્જન કરવાનો વિચાર રાખીશું: રણને નિચોવવાની વાત… તો ચાલો આપણે આજે રણને થોડું નિચોવી લઇએ!!
આ રહી મારી રચના… અને વિવેકભાઇનો શેર જે એમણે કોમેન્ટમાં લખ્યો હતો!
હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…
“ઊર્મિસાગર”
* * *
મારા હૃદયનો તાગ જો કાઢી શકો તમે,
રણ એક આખું તમને નિચોવાયેલું મળે.
(ડૉ.વિવેક ટેલર)
* * *
આપ સૌ જો આપની અંદરના પેલાં ઊર્મિના સાગરને વલોવશો, તો એમાથી એકાદ મોતી તો જરૂર મળશે! તો આપ એને વલોવવાનું શરૂ કરો છોને?

રણ તો છે છિછરું ક્યારેય ના સમાવે મેઘનુ હેત.
તેથીજ ચાલ આજે નીચોવી મારુ સમગ્ર રણ
તને બનાવી દઉ ભીની ભીની ધરા ઉપજાઉ
અને રાહ જોઉ ઉગતા તેમા પ્રણયગુલાબ કેરા વન.
વિજય શાહ
હ્યુસ્ટન ટેક્સાસ
ચાલ આજે રણ નિચોવું
પ્યાસનાં કારણ નિચોવું.
પેટનાં સૌ ખાડા ભરવા,
સાથે આવો, કણ નિચોવું…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
ભીંજાવું એટલે શું
રણ ને સમજાય કયાંથી?
નીચોવાવું એટલે શું
રણને અનુભવાય કયાંથી?
પણ…..
નીચોવી શકો જો રણ ને,
તરસ આખી ઝળહળે!!!
રણને નિચોવતા મૃગજળ હાથ આવ્યુ,
તારા હ્રદયનો તાગ કાઢતા અશ્રુજળ હાથ આવ્યુ!
eklama melo ne meloma ekla rahevu, thodu sahevu ne thodu tapvu ne pachi Tharine jivvu,manma hari ne harima man parovine em jivvu manjiyaru,ane paChi lage che jivan pyaru pyaru.